માસવાર આયોજન (પાઠ આયોજન)
વર્ગખંડમાં અસરકારક શિક્ષણ માટે શિક્ષક દ્વારા પોતાના પાઠ્યક્રમનું અગાઉથી આયોજન થાય તે ઈચ્છનીય છે. શિક્ષણ - પ્રશિક્ષણની તાલીમી સંસ્થાઓમાં પણ આ મુજબ જ તાલીમાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં આવે છે. વર્ગખંડમાં શિક્ષક પ્રસ્તાવના, વિષય પ્રવેશ, પદ્ધતિ , પ્રયુક્તિ, TLM, સંદર્ભ સાહિત્ય તેમજ શિક્ષક અને વિદ્યાર્થીઓ કઈ પ્રવૃત્તિ કરશે તે તમામ બાબતો અગાઉથી જ વિચારી તેનું આયોજન કરી વર્ગમાં જાય તો અસરકારક શિક્ષણ આપી શકે. આ માટે અગાઉથી પાઠ આયોજન ખૂબ જ જરૂરી છે. તો અહી પાઠ આયોજન માટે એક અમુનો મૂક્યો છે જે દરેક શિક્ષકને ઉપયોગી સાબિત થશે...